Saturday, December 28, 2013

બિયારણ અંકુરણ પરીક્ષણ અને ઉપચારિત કરવાની રીત ( ભાગ ૨ )

જો તમે દુકાને થી બિયારણ લીધુ હોય તો તેને ૫~૧૦ પાણીઍ ધોઈ લેવા જોઈયે કારણ કે તે બિયારણ ઉપર કેમિકલ ની પરત હોય છે.

જો કોઈ ખેડૂત પાસે બીજ લીધા હોય તો તે ધોવાની જરૂર ન પડે. ત્યાર બાદ તેના પર અંકુરણ પરીક્ષણ કર્યા બાદ જ બીજ ઉપચારિત કરવા


બીજ ઉપચારિત કરવાની રીત

સૌ પ્રથમ બરોબર ન દેખાતા બીજ કાઢી નાખવા.

ત્યારબાદ સારા બીજ ને ઉપચારિત કરવા..


જરૂરી વસ્તુઓ

ગાય નુ છાણ ૧૦ કિલો

૧૦ લીટર ગૌમુત્ર

૨૦ કિલો માટી ( પીપળ કે વ
ડ ના ઝાડ નીચેની )

આ બધી વસ્તુ ઑ ને બરોબર લોટ બાંધતા હોય તેમ બરોબર ભેગુ કરી લ્યો અને ૫૦ કિલો ~ ૧૦૦ કિલો બીજ આમા નાખી મશળી લેવા અને ત્યારબાદ તડકા મા સુકવી દેવા

મોટા બીજ માટે આ મિશ્રણ થોડુ ઘાટુ અને નાના બીજ માટે પાતળૂ હોય તો બીજ પર વ્યવસ્થિત પરત ચડી જશે.


આ ઉપચારિત કરેલા બીજ ના ફાયદા

આ બીજ ની પક્ષી ઑ ખાતા નથી

અને સારી રીતે ઉગે છે





Seeds Treatment With Bijamrit.


જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com


-આશિષ જાડેજા

No comments:

Post a Comment